Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

રક્ષામંત્રી રાજનાથસિંહજીએ મોઝામ્બીક (મોપુટો)ની યાત્રામાં ભારતીય હિન્દુ સમાજની મુલાકાત લીધી

અમરેલી તા.ર : દેશના રક્ષામંત્રી રાજનાથસિંહજી મોઝામ્બીક મોપુટોની યાત્રા દરમિયાન ભારતીય હિન્દુ સમાજની મુલાકાત લઇ શ્રી વિશ્વંભર મહાદેવનું પૂજન અર્ચન કર્યુ. અનેક ભાવિક ભકતજનોની હાજરીમાં ભારત માતાની જય અને સનાતન ધર્મની જયના નારાઓ સાથે મોપુટોનું વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ. અમરેલીના શાસ્ત્રી નીતીન મહારાજના મુખેથી શાસ્ત્રીય મંત્રોચ્ચાર સાથે પુજાવિધી થઇ. આ તકે ભારતીય દુતાવાસ તરફથી વિશાલ હર્ષ, અનીલભાઇ હિન્દુ સમાજના પ્રમુખ અશ્વિનભાઇ તથા સમાજના વિવિધ આગેવાનો તથા જયશ્રીબેન રાવલ અને બીજા ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:24 am IST)