Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ઇમરાનખાનની તાજજપોશીમાં ગાવસ્કર, કપિલદેવ નવજોતસિંહ સિધ્ધુ અને આમીરખાનને આમંત્રણ

વિદેશ કાર્યાલયો સાથે વિચાર કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા પર નિર્ણય થશે

 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઇમરાનની વડાપ્રધાન તરીકે તાજપોશીની તૈયારીઓ ચાલી રહી છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના વડાની તાજપોશીમાં પૂર્વ ભારતીય ખેલાડીઓને આમંત્રણ અપાયું છે 

 

  પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના પ્રવક્તા ફવાદ ચૌધરીએ કહ્યું કે ભારતથી પૂર્વ ક્રિકેટ ખેલાડી સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, નવજોત સિંહ સિદ્ધૂની સાથે બોલીવુડ અભિનેતા આમિર ખાનને આમંત્રણ આપ્યું છે. 

  આ પહેલા સમાચાર આવ્યા હતા કે ઇમરાનની તાજપોશીમાં વડાપ્રધાન મોદી સહિત અન્ય વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે. જેનું ખંડન કરતા પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને લખ્યું કે મીડિયામાં જે અટકળો લગાવાઈ રહી છે તે યોગ્ય નથી, તેમની પાર્ટી વિદેશ કાર્યાલયો સાથે વિચાર કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા પર નિર્ણય લેશે. 

(12:00 am IST)