Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સોલિસિટર જનરલ તુષાર મહેતાને પદ ઉપરથી હટાવો : તૃણમૂલ કોંગ્રેસ નેતાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો : સોલિસિટર જનરલ તુષાર મહેતાને પદ ઉપરથી હટાવવા માંગણી કરી : નારદ તથા શારદા ચિટ ફંડ ગોટાળાના આરોપી ભાજપ આગેવાન સુવેન્દુ અધિકારી સાથેની સોલિસિટર જનરલની મુલાકાત શંકા પ્રેરક હોવાનું મંતવ્ય

કોલકત્તા : તૃણમૂલ કોંગ્રેસ નેતાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.જેમાંસોલિસિટર જનરલ તુષાર મહેતાને પદ ઉપરથી હટાવવા માંગણી કરી છે. જેના  કારણમાં જણાવાયા મુજબ નારદ તથા શારદા ચિટ ફંડ ગોટાળાના આરોપી ભાજપ આગેવાન સુવેન્દુ અધિકારી સાથેની સોલિસિટર જનરલની મુલાકાત  નાગરિકોમાં શંકા પ્રેરનારી છે.

સોલિસિટર જનરલનું પદ દેશના કાનૂન પ્રતિનિધિ તરીકેનું તટસ્થ પદ છે. આ પદ સંભાળતી વ્યક્તિ આરોપીને મળવા જાય તે બાબત પદની ગરિમાને લાંછન લગાડનારી છે.  

જોકે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાનો  બચાવ કરતા જણાવ્યું હતું કે સુવેન્દુ અધિકારી મારે ઘેર આવ્યા હતા પરંતુ હું તેમને મળ્યો નથી. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:45 pm IST)