-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 2nd July 2020
મહારાષ્ટ્રમાં કોરોના કાળો કહેર બની તૂટી પડ્યો : નવા 6339 કેસ : કુલ કેસ 1,86,626 થયા:વધુ 125 લોકોના મોત : મૃત્યુઆંક 8178
મુંબઈમાં 24 કલાકમાં 1554 કેસ : ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 80,669 થઈ
મુંબઈ : કોરોના વાઈરસ મહારાષ્ટ્રમાં કાળો કહેર બનીને તૂટી પડ્યો છે. છેલ્લા એક દિવસમાં મહારાષ્ટ્રમાં 6330 નવા કેસ નોંધાયા છે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 186626 થઈ ગયા છે. એક જ દિવસમાં રાજ્યમાં 125 લોકોના મૃત્યુ થયાં છે, જેમાંથી 110 મૃત્યુ 24 કલાકની અંદર થઈ ચૂક્યા છે, જ્યારે 15 મૃત્યુ અગાઉ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8178 લોકોના મોત નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોના ટેસ્ટ થયા છે.
મુંબઈમાં 24 કલાકમાં કોવિડ -19 ના 1554 કેસ પછી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 80,669 થઈ ગઈ છે. મુંબઇમાં 57 લોકોનાં મોત થયાં છે, ત્યારબાદ શહેરમાં કોરોનાથી મૃત્યુઆંક 4689 પર પહોંચી ગયો છે.
(12:42 am IST)