Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પરમ બીર સિંહ વિરુદ્ધ અનિલ દેશમુખ : 31 માર્ચના રોજ અનામત રખાયેલો સીબીઆઈ તપાસની અરજી અંગેનો ચુકાદો 5 એપ્રિલના રોજ


ન્યુદિલ્હી : મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખ અંગે સીબીઆઈની તપાસ અંગેનો ચુકાદો 5 એપ્રિલના રોજ જાહેર કરાશે . બોમ્બે હાઇકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે 31 માર્ચ, 2021 ના રોજ આ ચુકાદો અનામત રાખ્યો હતો.

નામદાર કોર્ટ ઉપરોક્ત ચુકાદાની સાથોસાથ અન્ય ત્રણ જોડાયેલી અરજીઓ અંગે પણ પોતાનો ચુકાદો સંભળાવશે. જેમાં ઘનશ્યામ ઉપાધ્યાય દ્વારા કોર્ટની દેખરેખવાળી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચનાની માંગ કરતી અરજીનો પણ સમાવેશ થાય છે .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:28 pm IST)