Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ભારત બંધ :હિંસા દુર્ભાગ્યપૂર્ણ :સુપ્રીમ કોર્ટના નિર્ણયની આડમાં સંઘ વિરૂદ્ધ ઝેરીલો દુષ્પ્રચારના પ્રયાસ નિંદનીય

સંઘ જાતિના નામે કોઇ પણ ભેદભાવ અને અત્યાચારની વિરૂદ્ધમાં છે : સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશી

નવી દિલ્હી :એસસી-એસટી એક્ટને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરૂદ્ધ દલિત સંગઠનોએ આપેલા ભારત બંધ દરમિયાન થયેલી હિંસા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની આડમાં સંઘની વિરૂદ્ધ ઝેરીલો દુષ્પ્રચારના પ્રયાસ થઇ રહ્યા છે, જે આધારહીન અને નિંદનીય છે.

   સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ નિવેદનમાં કહ્યું કેએસસી-એસટી એટ્રોસિટી એક્ટના ઉપયોગ પર સુપ્રીમના નિર્ણયને લઇને થઇ રહેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટના નિર્ણયની આડમાં જે રીતે સંઘ અંગે ઝેરીલો દુષ્પ્રચાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે આધારહીન અને નિંદનીય છે. સંઘનો કોર્ટના નિર્ણય સાથે કોઇ સંબંધ નથી.’ તેમણે લોકોને શાંતિ જાળવવા, સંયમ રાખવા અને કોઇના બહેકાવવામાં આવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સંઘ જાતિના નામે કોઇ પણ ભેદભાવ અને અત્યાચારની વિરૂદ્ધમાં છે. પ્રકારના અત્યાચારો રોકવા માટે બનાવેલ કાયદાનો કઠોરતાથી પાલન થવું જોઇએ.

   ભૈયાજી જોશીએ શાંતિની અપીલ કરતાં કહ્યું, સંઘે સમાજના બધા પ્રબુદ્ધ લોકોને અનુરોધ કર્યો છે કે સમાજમાં પરસ્પર સૌહાર્દ બનાવવામાં પોતાનું યોગદાન આપે અને સમાજ કોઇના બહેકાવવામાં આવે નહીં. પરસ્પર પ્રેમ અને વિશ્વાસ બનાવી કોઇ પણ પ્રકારના દુષ્પ્રચારનો શિકાર થાય નહીં. તેમણે કહ્યું કે, સંઘ જાતિના નામે કોઇ પણ ભેદભાવ અને અત્યાચારની વિરૂદ્ધમાં છે. પ્રકારના અત્યાચારો રોકવા માટે બનાવેલ કાયદાનો કઠોરતાથી પાલન થવું જોઇએ.

    અત્રે ઉલ્લેખનીય છે કે  હાલમાં સુપ્રીમ કોર્ટે એક્ટ હેઠળ તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ કર્યો હતો. સિવાય એસસી-એસટી એક્ટ હેઠળ નોંધાનારા કેસમાં અગ્રીમ જમાનતને મંજૂરી પણ આપી દીધી હતી. સર્વોચ્ચ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે હેઠળના કેસમાં ઑટોમેટીક ધરપકડના બદલે પોલીસે 7 દિવસની અંદર તપાસ કરવી જોઇએ અને પછી એક્શન લેવી જોઇએ. કોર્ટે કહ્યું કે સરકારી અધિકારીની ધરપકડ અપૉઈન્ટિંગ ઓથૉરિટીની મંજૂરી વિના મળતી નથી. જ્યારે બિન સરકારી કર્મચારીની ધરપકડ માટે એસએસપીની મંજૂરી લેવી આવશ્યક છે.

(11:59 pm IST)