Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

કોરોનાના વળતા પાણી

૮ મહિના બાદ નોંધાયા સૌથી ઓછા કેસઃ રિકવરી રેટ ૯૭%એ પહોંચ્યો

ભારતમાં અત્યાર સુધીમાં ૩૯.૫૦ લાખ લોકોને કોવિડ વેકસીન આપવામાં આવીઃ માત્ર ૧.૬૩ લાખ એકિટવ કેસ

નવી દિલ્હી, તા.૨: ભારતમાં કોરોનાના વળતા પાણી થઈ રહ્યા હોય એવા સંકેત મળી રહ્યા હોય તેવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. એક તરફ સમગ્ર દેશમાં કોવિડ વેકસીનેશનનું પહેલું ચરણ ચાલી રહ્યું છે અને ૩૯ લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. તો બીજી તરફ ૨૪ કલાકમાં નવા પોઝિટિવ કેસોમાં જોરદાર દ્યટાડો નોંધાયો છે અને તેની સાથોસાથ મૃત્યુઆંક ૧૦૦દ્ગક નીચે પહોંચી ગયો છે

 દેશમાં બુધવાર સુધીમાં કુલ ૩૯,૫૦,૧૫૬ લોકોને કોવિડ વેકસીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં માત્ર ૮,૬૩૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૭,૬૬,૨૪૫ થઈ ગઈ છે.

 નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૪ લાખ ૪૮ હજાર ૪૦૬ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૧૩,૪૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૬૩,૩૫૩ એકિટવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ ૯૭ ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૪૮૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯,૭૭,૫૨,૦૫૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં માત્ર ૬,૫૯,૪૨૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.  ગુજરાતની વાત કરીએ તો, ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૯૮ નવા કેસ સામે આવ્યા હતા. જયારે કોરોના સંક્રમણના કારણે વધુ એક દર્દીના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૪૩૮૮ પર પહોંચ્યો છે.

(3:51 pm IST)