Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

આઇઆઇટી પાસ કરીને વિદેશ જનાર વિદ્યાર્થી ગાયનુ માંસ ખાવા લાગે છે : કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજસિંહની ટિપ્‍પણી

કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજસિંહએ ગુરૂવારના કહ્યું ભગવદ ગીતા સ્‍કુલોમાં ભણાવવી જોઇએ. એમણે કહ્યું આપણે આપણા બાળકોને મિશનરી સ્‍કૂલોમાં મોકલીએ છીએ.

તે આઇઆઇટી પાસ કરી એન્‍જીનીયર બને છે અને વિદેશ જાય છે અને એમાંથી વધારે પડતા બાળકો ગાયનું માંસ ખાવા લાગે છે કારણ આપણે એમને આપણી સંસ્‍કૃતિ અને પારંપરિક મુલ્‍ય નથી શીખવાડતા.

(10:17 pm IST)