Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

પાકિસ્તાનમાં લઘુમતીઓ ઉપર અત્યાચાર થતો હતો ત્યારે આ લોકો ચુપ કેમ હતા : નરેન્દ્રભાઈ મોદીના પ્રહાર

કર્ણાટક, તા. ૨ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકમાં આયોજીત જાહેરસભામાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરનારને જડબાતોડ જવાબ આપતા કહ્યુ કે, જયારે પાકિસ્તાનમાં લઘુમતીઓ  ઉપર અત્યાચાર થતો હતો ત્યારે આ લોકો ચુપ કેમ હતા?

નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યુ કે પાકિસ્તાનમાંથી જીવ બચાવીને આવેલા લોકોના વિરોધમાં ઝુલુસ શા માટે કાઢવામાં આવે છે

નરેન્દ્રભાઈ મોદીએ કહ્યુ કે તમારે સૂત્રોચ્ચાર જ કરવા છે તો પાકિસ્તાનમાં જેવી રીતે લઘુમતીઓ ઉપર અત્યાચાર થઈ રહયા છે તેના સામે નારા લગાવો

(7:53 pm IST)