Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સીએએ વિરૂદ્ધ હિંસક પ્રદર્શનને લઇ આસામના પર્યટન વિકાસ નિગમને થયુ રૂ. ૧૦૦૦ કરોડનું નુકસાન

        આસામ પર્યટન વિકાસ નિગમ (એટીડીસી) ના ચેરમેન જયંતા મલ્લા બરૂઆએ બતાવ્યુ છે કે નાગરિકતા સંશોધન કાનૂન વિરૂદ્ધ હિંસક પ્રદર્શન દરમ્યાન રાજયમાં પર્યટનને અનુમાનિત રીતે રુ. ૧૦૦૦ કરોડનું નુકસાન થયુ.

         એમણે આગળ કહ્યું પર્યટન માટે સૌથી સારો સમય ડીસેમ્બર-માર્ચ છે ડીસેમ્બર અને જાન્યુઆરીમાં રૂ. પ૦૦- પ૦૦ કરોડનું નુકસાન થવાનુ અનુમાન છે.  ફેબ્રુઆરીમાં સ્થિતિ થોડી વધારે સારી થઇ શકે છે.

(12:00 am IST)