Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ભાગવત ગીતાનું ઉર્દુ શાયરીમા ભાષાંતર કરનાર પ્રખ્યાત શાયર અનવર જલાલપુરીનું નિધન

લખનવ : ઉર્દુ શાયરીમાં ભાગવત ગીતાનું ભાષાંતર કરીને "ગીતા ઈન ઉર્દુ શાયરી" નામથી પુસ્તક લખવાવાળા અને પ્રખ્યાત શાયર અનવર જલાલપુરીનું 70 વર્ષની વયે નિધન થયું છે. 28 ડિસેમ્બરના રોજ તેમને 'બ્રેન-હેમરેજ' થયા પછી તેમને લખનવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે 'રાહરો સે રહનુમા તક' અને 'ઉર્દુ શાયરી મે ગીતાંજલી' જેવા ઘણા પુસ્તકો લખ્યા હતા.

(5:26 pm IST)