Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

પીએમની મુલાકાત વેળાએ શા માટે ઓરેવા કંપનીના બોર્ડ પર સફેદ ચાદર ઢાંકી દેવાઈ :લોકોમાં ભારે ચર્ચા

દુર્ઘટના સ્થળ પર ઓરેવા કંપનીનું બોર્ડ હતું, જેને પીએમ મોદીના આગમન પહલા સફેદ ચાદરથી ઢાંકી દેવાયુ

મોરબી હોનારતને બે દિવસ થઈ ગયા છે. ત્યારે પીએમ મોદી મોરબી પહોંચે તે પહેલાં સમગ્ર વિસ્તારની કાયાપલટ કરાઈ હતી. મોરબી સિવિલ હોસ્પિટલની સાથે દુર્ઘટના સ્થળ પર પણ ખાસ બદલાવ જોવા મળ્યો હતો. દુર્ઘટના સ્થળ પર ઓરેવા કંપનીનું બોર્ડ હતું, જેને પીએમ મોદીના આગમન પહલા સફેદ ચાદરથી ઢાંકી દેવાયુ હતું. તેમજ જે મોરબી સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ મૃતદેહો લાવવામાં આવ્યા હતા. ત્યારે એ જ સિવિલ હોસ્પિટલનું રાત્રે રંગરોગાન કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું હોવાની ચર્ચા ઉઠી હતી.  હોસ્પિટલના કેટલાંક વોર્ડમાં સમારકામ અને રંગરોગાનનું કામ ચાલતુ હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી.

(12:40 am IST)