Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી દુર્ઘટના : પાંચ આરોપી જેલહવાલે ચારના રિમાન્ડ મંજુર થયા, રીનોવેશન કોન્ટ્રાકટ મામલે મોટો ખુલાસો.

મોરબીનો ઝૂલતો પુલ રવિવારે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી જે ઘટના મામલે પુલનું મેન્ટેનન્સ કરતી એજન્સી અને મેનેજમેન્ટ કરતી એજન્સી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે તુરંત એક્શન લીધા હતા અને ઓરેવા કંપનીના મેનેજર સહિતના ૦૯ આરોપીને ઝડપી લીધા હતા જે પૈકી પાંચને જેલહવાલે કરવામાં આવ્યા હતા તો ચાર આરોપીને આજે કોર્ટમાં રજુ કરતા તા. ૦૫ સુધીના પોલીસ રિમાન્ડ સોપવામાં આવ્યા છે
  મોરબી દુર્ઘટના મામલે ગુનો નોંધ્યા બાદ પોલીસે નવ આરોપીને ઝડપી લીધા હતા જે પૈકી ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ (રહે ત્રણેય દાહોદ વાળા) તેમજ ક્લાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી (રહે બંને મોરબી) એમ પાંચ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે જયારે આરોપી મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે (રહે બંને મોરબી ) અને બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર (રહે બંને ધ્રાંગધ્રા )એમ ચાર આરોપીને ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે આરોપીઓના તા. ૦૫ ને શનિવારે બપોરે ૩ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે
ફેબ્રિકેશન કામગીરી કરનાર અનક્વોલીફાઈડ હોવાનું તપાસમાં ખુલ્યું
આરોપીના રિમાન્ડ બાદ મેળવ્યા બાદ કોર્ટ ખાતે સરકારી વકીલ હરસેન્દુ પંચાલે જણાવ્યું હતું કે ચાર આરોપીના રિમાન્ડ કોર્ટ મંજુર કર્યા છે વધુમાં જણાવ્યું હતું કે ઓરેવા કંપનીના મેનેજર જેને મેનેજમેન્ટની જવાબદારી સોપાઈ હોય તેને રીનોવેશન માટે ફેબ્રિકેશન કામ સોપ્યું હતું તે અનક્વોલીફાઈડ હોવાનું ખુલ્યું છે તેમજ તપાસ દરમીયાન બેદરકારીમાં કોણ કોણ સામેલ છે, કોના કહેવાથી વર્ષ ૨૦૦૭ અને ૨૦૨૨ માં કોન્ટ્રાકટ કંપનીને મળ્યો તે તપાસ કરવામાં આવી રહી છે તો FSL રીપોર્ટ બંધ કવરમાં કોર્ટને સોપ્યો હોવાનું જણાવ્યું હતું ચર્ચા દરમીયાન જયસુખ પટેલનું નામ લેવામાં આવ્યું ના હતું તો રીનોવેશન કામગીરીમાં કેબલ બદલ્યા ના હોય અને ફલોરિંગ બદલવામાં આવ્યું હોય તેવું પણ ડીવાયએસપી તપાસમાં સામે આવ્યાનું જણાવ્યું હતું.

(10:42 pm IST)