Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી દુર્ઘટના મામલે નીતિનભાઈ પટેલે ઓરેવા ગ્રુપને સોંપાયેલી પુલ રિનોવેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા

મોરબી દુર્ઘટના મામલે નીતિનભાઈ પટેલે ઓરેવા ગ્રુપને સોંપાયેલી પુલ રિનોવેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા

અમદાવાદ : મોરબી પુલ દુર્ઘટના મુદ્દે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ઓરેવા ગ્રુપને સોંપાયેલી પુલના રિનોવેશનની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે. કયા આધારે પાલિકાએ ઓરેવા કંપનીને કામ સોંપ્યું ? તો સાથે જ જણાવ્યુ કે રાજ્ય સરકારની SIT ની તપાસમાં હકિકત સામે આવશે. બ્રિજની મરામત અને સંચાલનમાં રાજ્ય સરકારની જવાબદારી નથી, તો બ્રિજ શરૂ કરવા અંગે પણ રાજ્ય સરકારની મંજૂરીની જરૂર ન હોવાનુ તેમણે જણાવ્યુ છે.

(10:18 pm IST)