Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના :ફાઇનલ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી નદીમાં સર્ચ ઓપરેશન ચાલતું રહેશે

NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ દ્વારા સતત સર્ચ-ઓપરેશન

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે, ત્યારે હજી પણ સર્ચ-ઓપરેશન ચાલુ છે. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સતત સર્ચ-ઓપરેશન કરી રહી છે. SDRFના રેસ્ક્યૂ ઇન્ચાર્જે જણાવ્યું કે નદીમાં કોઇ મૃતદેહ ન રહી જાય તે માટે સતત સર્ચ ચાલી રહ્યું છે. સાથે જ કહ્યું કે જ્યાં સુધી ફાઇનલ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી નદીમાં સર્ચ ઓપરેશન ચાલતું રહેશે.

 

(7:54 pm IST)