Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી બાર એસોનો મહત્વનો નિર્ણય દુર્ઘટનાના આરોપીનો કેસ નહિ લડે

કાલે ઠરાવ કરવામાં આવશે અને મોરબીના વકીલો આરોપીઓનો કેસ ના લડે તેવું નક્કી કરવામાં આવ્યું

મોરબી પુલ દુર્ઘટનામાં ૧૩૬ જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે અને સમગ્ર મોરબી પંથક શોકમાં ગરકાવ થયું છે લોકોમાં દુર્ઘટનાથી રોષની લાગણી પણ ભભૂકી છે ત્યારે મોરબી દુર્ઘટનાના આરોપીઓનો કેસ નહિ લડવા મોરબી બાર એસો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે

મોરબી બાર એસોના પ્રમુખ જીતુભા જાડેજાએ માહિતી આપતા જણાવ્યું છે કે મોરબી બાર એસો દ્વારા દુર્ઘટનાના આરોપીઓની કેસ નહિ લડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જે અંગે આવતીકાલે ઠરાવ કરવામાં આવશે અને મોરબીના વકીલો આરોપીઓનો કેસ ના લડે તેવું નક્કી કરવામાં આવ્યું છે

(7:01 pm IST)