Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબીમાં દુર્ઘટનાગ્રસ્ત ઝુલતા પુલનું નીરીક્ષણ કરતા નરેન્દ્રભાઇ : ભુપેન્દ્રભાઇ, સી.આર.પાટીલ,હર્ષ સંઘવીએ ઘટનાની માહીતી આપી

વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે મોરબી ખાતે ઝુલતા પુલમાં થયેલ દુર્ઘટના બાદ તેમનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. હેલીકોપ્ટરમાં હેલીપેડ ખાતે આગમન થયા બાદ તેઓ સીધા જ ઝુલતા પુલ ખાતે પહોંચ્યા હતા. જયાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતનાએ દુર્ઘટના અંગે તમામ માહીતી આપી હતી. ત્યાર બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઝુલતા પુલ આસપાસ નીરીક્ષણ કર્યુ હતું. દુર્ઘટનાગ્રસ્ત   ઘટના સ્થળેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને તેમનો કાફલો સિવિલ હોસ્પીટલ ખાતે પહોંચ્યો હતો. જયાં મૃતકોના પરીવારજનો તથા ઇજાગ્રસ્તોને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી તથા તબિયતની પૃચ્છા કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કાફલો કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠકમાં જવા માટે રવાના થયો હોવાનું જાણવા મળ્યું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા, કિંજલ કારસરીયા-જામનગર)

(5:24 pm IST)