Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધાયેલી ફરીયાદ ઘોર અપરાધને દર્શાવે છેઃ સીબીઆઈ

નવી દિલ્હીઃ સીબીઆઈએ આજે દિલ્હી હાઈકોર્ટને કહ્યુ છે કે, સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાના અને અન્ય લોકો વિરૂદ્ધ લાંચના આરોપોમાં નોંધાયેલી એફઆઈઆર ઘોર અપરાધને બતાડે છેઃ સીબીઆઈએ એફઆઈઆર રદ્દ કરવાની અસ્થાનાની અરજીનો વિરોધ કરતા કહ્યુ હતુ કે આ સ્તરે વિષય વસ્તુથી અસંબંધની પરવાનગી નથીઃ સીબીઆઈએ વધુમાં જણાવ્યુ છે કે, અસ્થાના વિરૂદ્ધ તપાસ હજુ પ્રાથમિક ચરણમાં છે, વિવિધ દસ્તાવેજો અને અન્ય લોકોની ભૂમિકાની તપાસ થઈ રહી છે

(3:29 pm IST)