Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

સરદાર પટેલના ચરણોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અભિષેક પૂજન

પગપાળા સમગ્ર કેમ્પસ નિહાળ્યું :સીડીથી સ્ટેચ્યુ સુધી પહોંચ્યા:વિજયભાઈ રૂપાણી,અમિતભાઇ શાહ સાથે રહ્યાં :વિશાળ પ્રતિમાના ચરણ-પૂજા માટે ખાસ વ્યવસ્થા : બનાવાયો હતો ખાસ મંચ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સરદાર પટેલની 143મી જન્મજયંતી પ્રસંગે કેવડિયા કોલોની ખાતે આવેલા સાધુ બેટમાં નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું રાષ્ટ્રાર્પણ કર્યું હતું

 

વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના ચરણોમાં અભિષેક પુંજ કર્યું હતું નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર કેમ્પસ પગપાળા ચાલીને નિહાળ્યું હતું તેઓની સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના ચરણ પૂજા માટે ખસ વ્યવસ્થા ઉભી કરાઈ હતી અને એક ખાસ મંચ પણ બનાવાયો હતો

(12:00 am IST)