Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

નૌશેરામાં ઘુસણખોરી કરી રહેલા ત્રણ આતંકી ઠાર

સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

જમ્મુ તા. ૧ : જમ્મુ - કાશ્મીરના નૌશેરા સેકટરમાં સુરક્ષાદળોએ આતંકવાદી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. નિયંત્રણ રેખા પાસે ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસણખોરીની કોશિષ કરી રહ્યા હતા. આની ખબર પડતા જ જવાનોએ કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાની સેના સતત આતંકવાદીઓને ઘુસાડવાની નાપાક પેરવીઓ કરી રહી છે. તેના માટે પાક સેના અવાર-નવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે. પાકિસ્તાનની આ નાપાક હરકતોને ધ્યાનમાં રાખતા હાલમાં જ શ્રીનગરમાં સેના, પોલિસ અને નાગરિક પ્રશાસનની કોર ગ્રુપની મીટીંગ થઇ હતી. જેમાં એવું નક્કી થયું કે ખીણમાં વિવિધ ગ્રુપના આતંકવાદીઓનો સફાયો કરવાની સાથે સાથે તેમને આર્થિક મદદ પહોંચાડતી સપ્લાય ચેનને પણ કાપી નાખવી, આના માટે તેમને મદદ કરતા લોકોની ઓળખ કરીને તેમના પર સકંજો કસવામાં આવશે. તેમની ધરપકડ કરીને આતંકવાદી સંગઠનોને મળતી આર્થિક મદદને રોકવામાં આવશે.

(2:11 pm IST)