Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

બિમારીનું બહાનું કરીને નવાઝ શરીફ લંડનમાં મોજ કરી રહ્યા છેઃ તસ્વીર વાયરલ

લાહોર, તા.૧: પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની લંડનની એક કેફેમાં પરિવારના કેટલાક સભ્યો સાથે ચા પીવાની નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેના મુદ્દે તેમના સ્વાસ્થય અંગે ચર્ચા ચાલુ થઇ ચુકી છે. સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇંસાફના સભ્યોએ માંગ કરી છે કે, ભ્રષ્ટાચારના કેસો ચાલી શકે તે માટે તેને પરત પાકિસ્તાન લાવવામાં આવે. હૃદયરોગથી પીડિત ૭૦ વર્ષનાં નવાઝ શરીફ લંડનમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. નવાઝ શરીફ પાકિસ્તાનનાં ત્રણ વખત વડાપ્રધાન રહી ચુકયા છે.

સોશિયલ મીડિયા પર જે તસ્વીરો વાયરલ થઇ છે. તેમાં દેખાઇ રહ્યું છે કે, નવાઝ શરીફ પોતાની પ્રપૌત્રીઓ સાથે રસ્તાને કિનારે રહેલી એક કેફેમાં બેઠેલા દેખાય છે. તેઓ લીલા રંગના પઠાણી પહેરવેશમાં અને માથા પર ટોપી લગાવીને બેઠા છે. તેનું સ્વાસ્થય પણ સારુ હોવાનું લાગી રહ્યું છે. પાકિસ્તાનના કેટલાક મંત્રીઓએ તેના સ્વાસ્થયની ગંભીર સ્થિતી અંગે શંકા વ્યકત કરતા શરીફ લંડનના રસ્તાઓ પર ફરી રહ્યા છે અને કોવિડ ૧૯ના સમયમાં તેમણે માસ્ક પણ લગાવ્યું નથી. વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, કેફેમાં ચા પીતા શરીફની આ તસ્વીરે આપણા કાયદા, ન્યાય અને ન્યાયીક વ્યવસ્થાનો પર્દાફાશ કરી દીધો છે. આ તસ્વીર તે પણ જણાવે છે કે, દેશમાં લોકો કેવી રીતે જવાબદાર પ્રણાલી પર વિશ્વાસ કરી શકે.

પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના સલાહકાર શાહબાઝ ગિલે કહ્યું કે, કોર્ટમાં ખોટુ બોલીને શરીફ વિદેશ થયા છે. ગિલે કહ્યુ કે, શરીફ પરિવાર સમજે છે કે લોકો મુર્ખ છે. તેમણે કહ્યું કે, નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફર્યા અને પોતાની વિરુદ્ઘ લાગેલા ભ્રષ્ટાચારનાં કેસનો સામનો કરી રહ્યા છે.

(10:00 am IST)