Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

એરપોર્ટ માટે નવી ગાઇડલાઇન: એક જ ટર્મિનલનો ઉપયોગ કરાશે

પ્રવાસીઓના સામાનની સુવિધાઓમાં અંતર રાખવું પડશે

નવી દિલ્હી : ૩મે ના રોજ લોકડાઉન સમાપ્ત થયા પછી જો વિમાની સેવાઓેને પરવાનગી અપાય તો એરપોર્ટ પર કેવી વ્યવસ્થા જાળવવી તે અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગાઇડલાઇન જારી કરાઈ છે

 . ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યુ છે કે, શરૂઆતમાં મેટ્રો અને ટાયર-વન શહેરો, કેટલાક રાજ્યોની રાજધાનીમાં ઉડાન સેવા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં એરપોર્ટના એક જ ટર્મિનલનો ઉપયોગ કરવાનો રહેશે. તે ઉપરાંત પ્રવાસીઓના સામાનની સુવિધાઓમાં અંતર રાખવું પડશે.

(1:07 am IST)