Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

લિથિયમ બાદ હવે મળ્‍યો સોનાનો ભંડાર

ઓડિશાના ત્રણ જિલ્લા દેવગઢ, કેઓંઝર અને મયુરભંજમાં સોનાના ભંડાર મળી આવ્‍યાઃ શું આ ૩ જિલ્લા દેશને સમળદ્ધ બનાવશે ? : છેલ્લા ૨ વર્ષથી જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્‍ડિયા અને ઓડિશાના : જીઓલોજી ડિરેક્‍ટોરેટ આ અંગે સર્વે કરી રહ્યા હતા

ભુવનેશ્વર, તા.૨૮: જમ્‍મુ-કાશ્‍મીરમાં લિથિયમનો ખજાનો મળ્‍યા બાદ હવે ભારતને વધુ એક જેકપોટ મળી ગયો છે. ઓડિશાના ૩ જિલ્લામાં સોનાના ભંડારના સંકેતો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્‍ડિયા અને ઓડિશાના ડિરેક્‍ટોરેટ ઓફ જીઓલોજીએ દેવગઢ, કેઓંઝર અને મયુરભંજમાં સોનાના ભંડારનો સંકેત આપ્‍યો છે.

આ ત્રણ જિલ્લાઓમાં જ્‍યાં સોનાના ભંડાર દર્શાવવામાં આવ્‍યા છે તેમાં દિમિરીમુંડા, કુશકલા, ગોટીપુર, કેઓંઝાર જિલ્લામાં ગોપુર, મયુરભંજ જિલ્લામાં જોશીપુર, સુરિયાગુડા, રુઆંસીલા, ધુશુરા ટેકરી અને દેવગઢ જિલ્લામાં અડાસનો સમાવેશ થાય છે. આ વિસ્‍તારોમાં પ્રથમ સર્વે ૧૯૭૦ અને ૮૦ના દાયકામાં ખાણ અને ભૂસ્‍તર વિજ્ઞાન વિભાગ અને જીએસઆઈ દ્વારા કરવામાં આવ્‍યો હતો. જો કે, તેના પરિણામો જાહેર કરવામાં આવ્‍યા ન હતા.

રાજ્‍યના ખાણકામ મંત્રી પ્રફુલ્લ કુમાર મલિકે જણાવ્‍યું હતું કે ઞ્‍લ્‍ત્‍ એ છેલ્લા બે વર્ષમાં આ ત્રણ જિલ્લામાં વધુ એક સર્વે હાથ ધર્યો છે. વાસ્‍તવમાં, ઠેંકનાલના ધારાસભ્‍ય સુધીર કુમાર સામલે વિધાનસભામાં સોનાના ભંડારને લગતો પ્રશ્‍ન પૂછયો હતો. તેના જવાબમાં પ્રફુલ કુમારે ત્રણ જિલ્લામાં ‘ખજાનો' મળવાની શકયતાઓ વિશે જણાવ્‍યું. જોકે, અત્‍યારે એ સ્‍પષ્ટ નથી કે ત્રણેય જિલ્લામાંથી મળી આવેલા સોનાના ભંડારમાં સોનાનો જથ્‍થો કેટલો છે.

અગાઉ, જમ્‍મુ અને કાશ્‍મીરમાં શોધાયેલ લિથિયમનો ભંડાર ૫.૯ મિલિયન ટન છે, જે ચિલી અને ઓસ્‍ટ્રેલિયા પછી વિશ્વમાં સૌથી મોટો છે. આ શોધ બાદ ભારત લિથિયમ ક્ષમતાના મામલે ત્રીજા નંબર પર આવી ગયું છે. લિથિયમ એ એવી બિન-ફેરસ ધાતુ છે, જેનો ઉપયોગ મોબાઇલ-લેપટોપ, ઇલેક્‍ટ્રિક-વ્‍હીકલ સહિતની ઘણી વસ્‍તુઓ માટે ચાર્જેબલ બેટરી બનાવવા માટે થાય છે. આ દુર્લભ પળથ્‍વી તત્‍વ માટે ભારત હાલમાં અન્‍ય દેશો પર નિર્ભર છે.

જો આપણે વિશ્વમાં લિથિયમ ભંડારની સ્‍થિતિ પર નજર કરીએ, તો આ મામલામાં ચિલી ૯.૩ મિલિયન ટન સાથે પ્રથમ ક્રમે છે. જ્‍યારે ઓસ્‍ટ્રેલિયા ૬૩ લાખ ટન સાથે બીજા નંબરે છે. કાશ્‍મીરમાં ૫૯ લાખ ટન અનામત મળ્‍યા બાદ ભારત ત્રીજા નંબરે આવી ગયું છે. આર્જેન્‍ટિના ૨૭ મિલિયન ટન અનામત સાથે ચોથા ક્રમે, ચીન ૨ મિલિયન ટન અનામત સાથે પાંચમા અને અમેરિકા ૧ મિલિયન ટન અનામત સાથે છઠ્ઠા ક્રમે છે.

આ શોધ ભારત માટે ઘણી જાદુઈ સાબિત થઈ શકે છે. અત્‍યારે ભારતમાં જરૂરી લિથિયમના ૯૬ ટકા આયાત થાય છે. આ માટે મોટી રકમનું વિદેશી હુંડિયામણ ખર્ચવું પડે છે. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં લિથિયમ આયન બેટરીની આયાત પર ૮,૯૮૪ કરોડ રૂપિયા ખર્ચ્‍યા હતા. તેના પછીના વર્ષમાં એટલે કે ૨૦૨૧-૨૨માં, ભારતે ૧૩,૮૩૮ કરોડ રૂપિયાની લિથિયમ આયન બેટરીની આયાત કરી.(

(12:00 am IST)