Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સરકાર તોગડિયાની હત્યા કરાવીને આરોપ મુસ્લિમો ઉપર લગાડવા ઇચ્છુક :કાસગંજ મામલે તંત્રનું પક્ષપાતી વલણ

કાસગંજ જતા અટકાયત કરાયેલા મૌલાના તૌકીર રઝા ખા નો આરોપ :ચંદનના પરિવારને એક લાખ અને ઘાયલોને 50-50 હજારની મૌલાનાએ કરી જાહેરાત

બરેલી :યુપીના બરેલી પોલીસે આઇએમસીના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના તૌકીર રઝા ખા ને સમર્થકો સાથે કાસગંજ જતા સમયે અટકાયતમાં લેવાયા છે મૌલાનાને સમર્થકો સાથે બરેલીની પોલીસ લાઈનમાં રાખ્યા છે મૌલાનાએ કહ્યું હતું કે કાસગંજ વહીવટીતંત્ર એકતરફી કાર્યવાહી કરે છે

  મૌલાનાએ સરકાર ઉપર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સરકાર તોગડિયાની હત્યા કરવા ઈચ્છે છે અને હત્યાનો આરોપ મુસ્લમાનો ઉપર લગાડવા ઈચ્છે છે મૌલાનાએ કાસગંજમાં માર્યા ગયેલા ચંદનના પરિવારને એક લાખની મદદ અને ઘટનામાં ઘાયલોને 50-50 હાજરા આપવાની જાહેરાત કરી હતી 

(8:12 pm IST)