Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં અલગાવવાદી સમુદાયના પાંચ સભ્યોને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી:પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સક્રિય એક અલગાવવાદી સમૂહના પાંચ સભ્યોને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે ઘટનાને પાકિસ્તાનના આતંકવાદ નિરોધક પોલીસદ્વારા અંજામ આપવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

       આતંકવાદ નિરોધક પોલીસના પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શુક્રવારના રોજ પૂર્વી પાકિસ્તાનના સુદૂર કસ્બામાં એક અલગાવવાદી જગ્યા પર છાપો મારવામાં આવ્યો હતો દરમ્યાન અલગાવવાદી સમૂહના પાંચ સભ્યોને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. કાર્યવાહીમાં કોઈ પણ  પોલીસ અધિકારીઓને ઇજા પહોંચી છે કે નહીં તેની કોઈ માહિતી પ્રાપ્ત થઇ રહી નથી.

(6:14 pm IST)