Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પેશાવરની મસ્જિદમાં થયેલ વિસ્ફોટમાં મ્રુતકઆંક વધીને 28એ પહોંચ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનનાં પેશાવરમાં પોલીસ લાઇન વિસ્તારમાં આવેલી એક મસ્જીદમાં જોરદાર આત્મઘાતી હુમલો થયો હતો. સોમવાર સાંજે બનેલી આ ઘટના સમયે ઘણા લોકો ત્યાં નમાઝ પઢવા એકઠા થયા હતા. તે સમયે જ થયેલા આ વિસ્ફોટને લીધે ૨૮ લોકોના જાન ગયા હતા, જ્યારે ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ અંગે પોલીસ અધિકારી સિકંદર ખાને જણાવ્યું હતું કે, મસ્જીદનો એક ભાગ તુટી પડતાં તેની નીચે ઘણા લોકો દબાયા હોવાની શંકા છે.

પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ અસીમે જણાવ્યું હતું કે, આ ધડાકાથી ૯૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે જે પૈકી ઘણાની હાલત ગંભીર છે.

સમાચાર સંસ્થા એએફપી પ્રમાણે તો ઘણાનાં મૃત્યુ થયા હોવાની આશંકા છે. જ્યારે બધા નમાઝ પઢી રહ્યા હતા, ત્યારે તે આત્મઘાતી હુમલાખોર મસ્જીદમાં ઘુસી ગયો હતો. તે નમાઝ દરમિયાન પહેલી હરોળમાં જ હતો અને વિસ્ફોટ સાથે તેણે પોતાને ઉડાડી દીધો.

(6:53 pm IST)