Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

પાકિસ્તાનમાં દુષિત શરાબ પીવાથી બે નાઈજિરિયાઈ નાગરિકોના મોત

નવી દિલ્હી:લાહોરમાં દુષિત  શરાબ પીવાના કારણોસર  બે નાઈજિરિયાઈ  નાગરિકોના  મોત  નિપજ્યા  છે. પોલીસના  કહેવા અનુસાર  મૃતકની  ઓળખ  ઓસ્કર  સ્કારમાડુકા અને ક્લોવાવાગોના રૂપમાં  થઇ છે. બને  બિઝનેસ  સંબંધે  થોડા સમય પહેલા  જ લાહોરમાં  રહેતા  હતા. શનિવારના રોજ તેમને  મેથનોલ મળેલ  એક દુષિત  શરાબ  પીધી હતી  જેના કારણોસર તેમની   તબિયત ખરાબ  થવાના કારણોસર તેમને નજીકની  હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા અને ત્યારબાદ  તે  મોતને ભેટ્યા  હોવાનું  માલુમ  પડી રહ્યું છે. 

(6:51 pm IST)