Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પાકિસ્તાનના કરાંચીમાં શાકભાજીના કંટેનરમાંથી ઝેરીલો ગેસ નીકળતા ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુ

નવી દિલ્હી:પાકિસ્તાનના કરાંચીમાં શાકભાજીના એક કંટેનરમાંથી ઝેરીલો ગેસ નીકળતા ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ 15 લોકોની હાલત ગંભીર થઇ જતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કંટેનરને રવિવારના રોજ રાત્રીના એક માલવાહક પોતથી કેમારી બંદરગાહ વિસ્તારમાં ઉતારવામાં  આવ્યો હતો.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શરૂઆતની તપાસમાં જાણવામાં આવ્યું હતું  કે જૈક્સન માર્કેટમાં લોકોએ જેવું કંટેનર ખોલ્યું તો  તેમાંથી ધુવાળો નીકળવા લાગ્યો હતો જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ હતી અને તે બેહોશ થઇ જતા ચાર લોકો મોતને ભેટ્યા છે.

 

(6:05 pm IST)