Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

સુડાનમાં જનજાતિઓ વચ્ચે થયેલ સંઘર્ષમાં 37 લોકો મોતને ભેટ્યા; 200થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: સુદાનના પૂર્વી વિસ્તારમાં સ્થાનિક જનજાતિઓ વચ્છસ થયેલ ઝઘડામાં 37 લોકો મોતને ભેટ્યા છે તેમજ 200થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

    એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાની આમેર જનજાતિ અને નુબા જનજાતિ વચ્ચે ગયા અઠવાડિયે થયેલ લડાઈમાં 37 લોકો મોતને ભેટ્યા છે. ઝઘડા પાછળનું કારણ હજુ સુધી જાણવામાં આવી રહ્યું નથી.

(1:37 pm IST)