Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન આઈએસઆઈએ કોરોનની મહામારીને ધર્મ સાથે જોડ્યું

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન આઈએસઆઈએસે કોરોનાની મહામારીને પણ ધર્મ સાથે જોડી છે. આતંકી સંગઠને કોરોના મહામારીને મૂર્તિપૂજક દેશોને અલ્લાહનો જવાબ ગણાવી હતી. આટલુ ઓછુ હોય તેમ માનવતાના દુશ્મન એવા આઈએસએ અલ્લાહને દુઆ કરી છે કે, તેઓ નાસ્તિકો પર કોરોના વાયરસનો કહેર વધુ વધારે.

ઈસ્લામીક સ્ટેટે એક ન્યૂઝ લેટર જાહેર કરીને કહ્યું છે કે, ખુદાએ પોતાના જ બનાવેલા દેશો પર ખુબ જ વિશાનસકા કહેર વરસાવ્યો છે. આઈએસએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ મૂર્તિપૂજા કરનારા દેશોને ખુદાનો જવાબ છે.આઈએસએ અલ્લાહને આહવાન કર્યું છે કે, તે પોતાના માનનારા બંદાઓની રક્ષા કરે અને નાસ્તિકો પર પોતાનો કહેર યથાવત રાખે.

(5:51 pm IST)