Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ભારત-ચીનના સૈનિકો વચ્ચે પાંચમા ડોરની વાતચીત પણ ફળદાયી ન સાબિત થઇ

નવી દિલ્હી: સરહદે ભારત અને ચીનના સૈનિકો વચ્ચેનો તનાવ શમ્યો નથી, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ સપ્તાહે પાંચમા દોરની વાતચીત પણ ફળદાયી નથી નીવડી, આ મંત્રણામાં લદાખની પેંગોંગ સરોવર અને ગલવાલ ખીણમાં તનાવ ઓછો કરવાને લઈને કોઈ સફળતા નથી મળી.

સૂત્રોએ જણાવ્યું હતું કે આવનારા કેટલાક સમયમાં આ બનાવ ઘટવાની શકયતા ઓછી છે, કારણ કે બન્ને પક્ષો પોતપોતાના મોર્ચા પર અડગ છે. માનવામાં આવે છે કે રાજનીતીક માધ્યમ પણ બન્ને દેશોની સેનાઓ વચ્ચેના તનાવને ઘટાડવા માટે ઓવર ટાઈમ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગલવાન ખીણમાં ભારત દ્વારા રસ્તો બનાવવા પર ચીને વાંધો ઉઠાવતા આ તનાવ પેદા થયો છે.

(6:18 pm IST)