Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સએ યાત્રી વગર ઉડાવી ૪૬ ફલાઇટસ

         પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ એક ઓડિટ રીપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એર લાઇન્સ(પીઆઇએ) એ ર૦૧૬-૧૭ સુધીમા ઇસ્લામાબાદથી ૪૬ ફલાઇટસ યાત્રીકો વગર ઉડાડી હતી.

         રીપોર્ટ મુજબ આનાથી પીઆઇએ ને ૧૮ કરોડ પાકિસ્તાની રૂપિયા (રૂ.૮ કરોડ થી વધારે) નુ નુકસાન થયુ અને પ્રશાસનને આની જાણકારી હોવા છતાં કોઇપણ જાતની તપાસ ન થઇ. પીઆઇએ ગયા મહીને ૧૦૦૦ કર્મચારીઓની છટણી કરી.   

(12:05 am IST)