Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સુડાનની રાજધાનીમાં વિસ્ફોટના કારણોસર સાત લોકોના મૃત્યુ: 25 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: સુડાનની રાજધાની ખાતુર્મના અલ-શેગલા વિસ્તારમાં વિસ્ફોટના કારણોસર ઓછામાં ઓછા સાત લોકોના મૃત્યુ નિપજ્યા છે જયારે 25 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. સાઉદી અલ અરેબિયાના એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

                  વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મંગળવારના રોજ પોલીસ  સૂત્રોએ આપેલ માહિતી મુજબ ખાતુર્મના અલ-શેગલા વિસ્તારમાં  એક ઉપકરણમાં વિસ્ફોટ થવાના કારણોસર સાત લોકોના મૃત્યુ નિપજ્યા છે જયારે 25 ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:15 pm IST)