Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

યમના સેનાએ 20થી વધારે હાઉતી વિદ્રોહીઓને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: યમનમાં સેનાના સાના પ્રાંતના નિમ્હ જિલ્લામાં  આજ રોજ એક પર્વત શૃંખલામાં હાઉતી વિદ્રોહીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. અભિયાન દરમ્યાન 20થી વધારે વિદ્રોહીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. યમની આર્મર્ડ ફૉસેજ્ના એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સેનાના જવાનોએ રાજધાની સાનાના નિમ્હ યુદ્ધક્ષેત્રમાં ઈરાન સમર્થિત હાઉતી વિદ્રોહીઓના કબ્જાવાળા એક પર્વત શૃંખલાને મુક્ત કરાવ્યું છે. દરમ્યાન સંઘર્ષમાં ઘણા લોકો મોતને ભેટ્યા છે તેમજ ઘણા બધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી  છે.

(6:12 pm IST)