Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

શું તમે જાણો છો ઓઈલી ત્વચાના લાભ?

ઓઇલી ત્વચાને લોકો સમસ્યાનું ઘર માને છે. ત્વચા પરના ઓઇલના કારણે ચહેરો ચીપચીપો દેખાય છે. પરંતુ, શું તમે જાણો છો ઓઇલી ત્વચાથી કેટલાય પ્રકારના લાભ થાય છે.

જે લોકોની ત્વચા ઓઇલી હોય છે, તેને મોશ્ચરાઇઝરની જરૂર પડતી નથી. કારણ કે, આવી ત્વચા ઉપર પ્રાકૃતિક તેલ હોય છે, જે ત્વચાને મુલાયમ બનાવે છે.

સુર્યના હાનિકારક યુવી કિરણો ત્વચાને નુકશાન પહોંચાડે છેે. પરંતુ, જે લોકોની ત્વચા ઓઇલી હોય છે, તેને સુર્યના કિરણોની અસર થતી નથી. ત્વચા ઓઇલી હોવાના કારણે સુર્ય અને તમારી વચ્ચે એક સેતુ (બેરીયર)ની જેમ કામ કરે છે. જેના કારણે તમારે સનસ્ક્રીમનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી.

ઓઇલી ત્વચા તમારા ચહેરા ઉપર એક પ્રાકૃતિક નીખાર લાવે છે. જેના કારણે  તમારે ત્વચા ઉપર નીખાર લાવવા માટે બ્યુટી પ્રોડકટનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી.

(9:34 am IST)