Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મહારાણી એલીઝાબેથ મહેલ છોડી ઘરે રવાના

દુનિયાભરમાં ફેલાયેલ કોરોના વાયરસના ખોફ વચ્ચે બ્રિટનના મહારાણી એલીઝાબેથ સામાજીક અંતર બનાવી રાખવા બર્કીગહામ પેલેસ છોડી વિંડસર કેસલ રવાના થઈ ગયા છે. તેઓ આ વર્ષે સામાન્ય રીતે એક અઠવાડિયુ વહેલા કેસલ જઈ રહ્યા છે. ત્યાં તેઓ ઈસ્ટર બાદ સુધી રહેશે. કોરોનાથી સૌથી વધુ ખતરો બાળકો અને વડીલોને છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં ૨૬૨૬ કોરોનાના કેસ પોઝીટીવ આવ્યા છે અને ૧૦૮ લોકોના મોત થયા છે.

(4:09 pm IST)