Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

નાઇજીરિયામાં પાઇપલાઇનમાં વિસ્ફોટ થતા તેલની ચોરી કરી રહેલ 4 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: નાઈજિરીયાના પ્રમુખ વાણિજ્યિક કેન્દ્ર લાગોસમાં તેલ પાઇપલાઇનમાં ચોરો દ્વારા ચોરી કરતી વેળાએ થયેલ વિસ્ફોટમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે જયારે અન્ય દુકાનો અને ગાડીઓને પણ નુકશાન પહોંચ્યું છે. આપાતકાલીન સેવાના અધિકારીઓએ સોમવારના રોજ આ વાતની જાણકારી અપાઈ છે.આ દુર્ઘટના રવિવારના રોજ સાંજના અબુલે-ઇગબા વિસ્તારમાં બની હતી. આ પહેલા પણ ઘણીબધી આ પ્રકારની દુર્ઘટનાઓ બની છે. આગની ઝપેટમાં બિલ્ડીંગો,દુકાનો તેમજ ગાડીઓને પણ ભારે પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે.

(6:41 pm IST)