Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ફિલિપીનમાં વાવાજોડામાં મૃતકોનો આંક 43એ પહોંચ્યો

નવી દિલ્હી: મધ્ય ફિલિપીનમાં આતંક મચાવનાર વાવાઝોડામાં મરનારાઓની સંખ્યા 43એ પહોંચી છે.અધિકારીઓએ જણાવ્યું કે આની સાથે ભારે વરસાદના લીધે થયેલ ભૂસખલનમાં ગૂમ થયેલા ડઝન લોકોની મળવાની ઉમ્મીદ ધીરે ધીરે પુરી થતા જોવા મળી છે.ધીમી ગતિએ આગળ વધનાર કાઈટક વાવાઝોડું દક્ષિણી ચીની સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે.વાવાઝોડાના લીધે અહીંયા કેટલાક દિવસોથી ભારે વરસાદના લીધે પૂરની પરિસ્થિતિ તથા ભૂસખલનના બનાવ બન્યા છે સરકારી બચાવ કામગીરી કરતી એજન્સીએ જણાવ્યું કે મરનારાઓની સંખ્યા 43 થઇ છે તેમજ હજુ પણ 45 લોકો લાપતા છે.

(8:18 pm IST)