Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

આયર્નની ખામીને દૂર કરે છે શિમલા મરચા

શિમલા મરચાનું સેવન કેટલીય રીતે કરવામાં આવે છે. શિમલા મરચા લાલ, પીળા અને લીલા રંગમાં હોય છે.ઙ્ગ શિમલા મરચાના સેવનથી પોતાને લાંબા સમય સુધી તંદુરસ્ત બનાવી શકે છે. શિમલા મરચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

પોષકતત્વ : શિમલા મરચામાં ઘણા પોષકતત્વો હોય છે. શિમલા મરચામાં વિટામીન એ, વિટામીન સી, ફલેવાનાઈડ્સ, અલ્કાલોઈડ્સ અને ટેનિન્સ હોય છે. તેમાં રહેલ અલ્કાલોઈડ્સ એન્ટી-એમ્ફલેમેન્ટરી, એનલજેસ્ટિક અને એન્ટી ઓકિસડેન્ટની જેમ કામ કરે છે. જે સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે.

વજન ઘટાડવુ : શિમલા મરચા વજન ઓછુ કરવામાં મદદરૂપ છે. તેમાં કેલેરી ઓછી હોય છે. તેના સેવનથી વજન વધવાની સંભાવના ઓછી થઈ જાય છે. તે શરીરમાં મેટાબોલીઝમને પણ બૂસ્ટ અપ કરે છે. જેના કારણે વજન ઘટવાની પ્રક્રિયા ઝડપથી થાય છે.

હૃદયને સ્વસ્થ બનાવે : શિમલા મરચામાં રહેલ ફલેવોનાઈડ્સ હૃદયની સમસ્યાઓને દૂર કરે છે. તે શરીરમાં ઓકિસજનની સપ્લાઈ સારી રીતે કરે છે. જેનાથી હૃદયમાં રકતના ગાંઠા જામવા કે હાર્ટ પંપીંગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી નથી.

આયર્નની ખામી : શરીરમાં આયરનની ખામીને પૂરૂ કરવામાં શિમલા મરચા મદદરૂપ થાય છે. શરીરમાં આયર્નના અવશોષણના વિટામીન-સીની આવશ્યકતા હોય છે અને શિમલા મરચામાં વિટામીન-સી પર્યાપ્ત માત્રામાં હોય છે. શિમલા મરચા વિટામીન-સી આયર્નને અવશોષીત કરી (રકતની ખામી) એનીમિક બનવાથી બચાવે છે.

દર્દમાં રાહત : શિમલા મરચા એક નેચરલ પેનકિલર તરીકે કામ કરે છે. તેનું સેવન કરવાથી જલ્દી દર્દનો અહેસાસ થતો નથી. શિમલા મરચામાં રહેલ પોષક તત્વ દર્દને કરોડરજ્જુ સુધી જતા રોકે છે.

(9:57 am IST)