Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પ્રદેશમાં કોઇપણ સંઘર્ષ માંગતા નથી, માત્ર અમારા હિતોનો દ્રઢતાપૂર્વક બચાવ કરીશુઃ ઇરાન

તહેરાનઃ વિદેશમંત્રી મોહમદ  જવાદ ઝરીફે પુષ્ટિ કરી હતી કે ઇરાન પ્રદેશમાં કોઇ સંઘર્ષ કરવા માંગતુ નથી. પરંતુ હંમેશા બચાવનો પ્રયત્ન અને પોતાના હીતોની રક્ષા કરતો રહેશે. ટોકિયોમાં ગુરૂવારે જાપાનના સમકક્ષ સાથેની બેઠકમાં ઝરીફે જણાવ્યું હતુ કે બેઠકમાં તેમણે પ્રદેશમાં નવિનત્તમ વિકાસ, યુએસના પગલા અને આંતરરાષ્ટ્રીય સમુદાયની ઇચ્છા હોય તો પરમાણુ કરાર જાળવવાના માર્ગની ચર્ચા કરી હતી. ઝરીફે ઉમેર્યુ હતુ કે  જાપાનના વિદેશમંત્રીએ દેશના પરમાણુ કરારનું પાલન  કરવા પર ભાર મુકયો હતો અને પ્રાંત તંગદિલી દૂર કરવા તેના રાજકીય ઉપાયો આગળ વધારવાની ઇચ્છા વ્યકત કરી હતી.

બેઠકમાં ઇરાન સાથે  આર્થિક સંબંધોમા  સામાન્યીકરણ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની પ્રતિબદ્ધતા આવશ્યકતાના મુદે પણ ચર્ચા થઇ હોવાનું ઇરાન વિદેશમંત્રી ઝરીફે સ્પષ્ટતા કરી હતી.

(12:34 pm IST)