Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

રાનિલ વિક્રમસિંધેઅે શ્રીલંકાનાં વડાપ્રધાન તરીકે પદભારે સંભાળ્યો આખરે રાજકીય સંકટ ઉકેલાયો : અનેક અટકનોનો અંત

કોલંબો: શ્રીલંકામાં સત્તાની ખેંચતાણનો આખરે અંત થયો છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના દ્વારા વિવાદાસ્પદ પગલું ઉઠાવાયા બાદ મહિન્દ્રા રાજપક્ષેને વડાપ્રધાન બનાવવામાં આવ્યાં હતાં, તે રાજપક્ષેએ શનિવારે રાજીનામું આપી દીધુ અને હવે રાનિલ વિક્રમસિંઘેએ આજે દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાનિલ વિક્રમસિંઘે કે જેમને ઓક્ટોબરમાં શ્રીલંકાના વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યાં હતાં તેમને આજે ફરીથી મૈત્રીપાલા સિરિસેનાએ શપથ લેવડાવ્યાં. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ રવિવારે વિક્રમસિંઘેના શપથ લીધા બાદ લગભગ બે મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટનો હવે અંત આવી ગયો છે. સુપ્રીમ કોર્ટના બે મહત્વના ચુકાદાના કારણે રાજપક્ષેનું આ પદ પર બની રહેવું મુશ્કેલ બની ગયું હતું. જેના કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પડી.

કેન્સરના નામે મહિલાએ કરી કરોડોની ઠગાઈ, સારવારના પૈસામાંથી મોંઘીદાટ વસ્તુ ખરીદી

રાજપક્ષેના સમર્થક સાંસદ શેહન સેમાસિંઘેએ જણાવ્યું કે રાજપક્ષેએ કોલંબોમાં પોતાના નિવાસસ્થાન પર આયોજિત એક કાર્યક્રમમાં રાજીનામા પર હસ્તાક્ષર કર્યા હતાં. સાંસદે કહ્યું કે રાજપક્ષેએ પીપલ્સ ફ્રીડમ અલાયન્સ (યુપીએફએ)ના સાંસદોને જણાવ્યું કે તેમણે પદેથી રાજીનામું આપી દીધુ છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સર્વસંમતિથી ચુકાદો આપ્યો કે સિરિસેના દ્વારા સંસદ ભંગ કરવી એ ગેરકાયદેસર હતી. આ સાથે જ કોર્ટે શુક્રવારે રાજપક્ષેને વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળતા રોકનારા કોર્ટના આદેશ ઉપર પણ રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.

વિક્રમસિંઘેની યુનાઈટેડ નેશનલ પાર્ટીએ શનિવારે જણાવ્યું કે સિરિસેના તેમને પદ પર ફરીથી બહાલ કરવા માટે રાજી થઈ ગયાં. રાષ્ટ્રપતિએ શુક્રવારે તેમની સાથે ફોન પર વાત કરી હતી. યુએનપીના મહાસચિવ અકિલા વિરાજ કરિયાવાસમે કહ્યું કે અમને રાષ્ટ્રપતિ સચિવાલયથી જાણવા મળ્યું કે અમારા નેતા આવતી કાલે સવારે વડાપ્રધાન પદના શપથ લેશે. અત્રે જણાવવાનું કે 26 ઓક્ટોબરના રોજ વિક્રમસિંઘેને બરખાસ્ત કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ શ્રીલંકામાં રાજકીય સંકટ ઊભુ થઈ ગયું હતું.

(3:49 pm IST)