Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ઓએમજી......દસ વર્ષ પછી ધરતી પર આવી રહ્યો છે મહાપ્રલય: આ જગ્યાએ જોવા મળ્યા ખતરનાક સંકેત

નવી દિલ્હી:ગ્લોબલ વોર્મિંગના જોખમ સાથે ધરતીના અસ્તિત્વ પર પણ જોખમ ઊભું થયું છે. વૈજ્ઞાનિકોએ આગામી 10 વર્ષમાં જળ પ્રલય થવાની ચેતવણી આપી છે. તાજેતરના આંકડા અનુસાર 10 વર્ષમાં અંદાજે 1.30 ફૂટ બરફ ઓગળી જશે. અત્યાર સુધીમાં 5 ફૂટ બરફ ઓગળી ચુકી છે. વર્ષ 2030 સુધીમાં તે સંપૂર્ણ પીઘળી જશે તેવી આશંકા છે. આ વાત છે આર્કટિકના સૌથી જૂના અને સ્થિર આઈસબર્ગની જે ઝડપથી પીઘળી રહ્યો છે.

                                         

                   વૈજ્ઞાનિકોએ આ સ્થિતને જોતા ભયાનક જોખમની ચેતવણી આપી છે. આ વાત સાથે 130 દેશોના 11 હજાર વૈજ્ઞાનિકો સહમત થયા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આર્કટિકમાં જે બરફવાળો ભાગ બચ્યો છે તેને ધ લાસ્ટ આઈસ એરિયા કહેવામાં આવે છે, જે પણ બમણી ઝડપથી ઓગળી રહ્યો છે. વર્ષ 2016માં તે 4,143,980 વર્ગ કિમીમાં ફેલાયેલો છે. જે ઘટી 9.99 લાખ વર્ગ કિમી થયો છે. વર્ષ 2030 સુધીમાં તે સંપૂર્ણ રીતે પીઘળી જશે તેવી શક્યતા છે.

(6:05 pm IST)