Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

સીરિયામાં 24 કલાકમાં 902 શરણાર્થી સ્વદેશ પરત ફર્યા

નવી દિલ્હી: સીરિયામાં છેલ્લા 24 કલાક દરમ્યાન લેબનાન અને જોર્ડનથી લગભગ 900 સીરિયાઈ શરણાર્થી સ્વદેશ પરત ફર્યા છે. રશિયાના રક્ષા મંત્રાલયના શરણાર્થી આશ્રય કેન્દ્રમાં મંગળવારના રોજ એક  બુલેટિન દ્વારા    જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. તેમાં વધુમાં જણાવવામાં આવી રહ્યું છે કે  છેલ્લા 24 કલાકમાં 902 શરણાર્થી સીરિયા સ્વદેશ પરત ફરી રહ્યા છે જેમાં લેબનાનની  52 મહિલા અને 89 બાળકો સહીત 147 લોકો અને જોર્ડનથી 218 મહિલાઓ સાહિત 371 બાળકો  અને 728 શરણાર્થીઓ સ્વદેશ પરત ફરી રહ્યા હોવાની બાતમી મળી રહી છે.

 

 

(5:58 pm IST)