Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 30 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત તાખરમાં  એક હવાઈ હુમલામાં 30આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અફઘાનિસ્તાનની સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સેનાની તરફથી 217 પામીરના અબ્દુલ ખલિલ ખલીલીએ જણાવ્યું  હતું કે ખ્વાજા બેહવુંદીન જિલ્લાના  આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી અને સૂચનાના આધારે અહીંયા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.

       હુમલામાં લગભગ 30 આતંકવાદી મોતને ભેટ્યા છે તેમજ એનાથી પણ વધુ સંખ્યામાં આતંકવાદીઓ ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે એક ખુફિયા  એજન્સી દ્વારા મળેલ સૂચના મુજબ નાના નાના હથિયારો અને રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી આવેલ આતંકવાદીઓ જિલ્લામાં ઘુસ્યા હતા અને મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:30 pm IST)