Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ત્રિફળા ઔષધી સ્વાસ્થ્ય માટે છે એકદમ બેસ્ટ

ત્રિફળા એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે શરીરની બીમારીથી દુર કરી શકે છે. ત્રિફળાનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે. લોકો ત્રિફળાનું ચૂર્ણ બનાવીને પણ આનો પ્રયોગ કરે છે.

ત્રિફળા માત્ર કબજીયાત જ નહિં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અસરકારક  માનવામાં આવે છે. ત્રિફળાને આયુર્વેદમાં ખુબ જ ઉપયોગી મિશ્રણ અને ઉત્તમ ઔષધિ માનવામાં આવે  છે. આનું  નિયમિત રીતે સેવન કરવાથી તમારી આંખોની રોશની વધશે.

ત્રિફળા ના એક ચમચી ચૂર્ણને ગરમ દુધ અથવા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાતની સમસ્યા દુર થશે.

આ શરીરમાં રહેલ ચરબીને દુર કરે છે. જો તમે મોટાપાતી પીડાતા હોવ તો આનું સેવન કરવું.

ગરમ પાણી સાથે ત્રિફળાનું ચૂર્ણ પીવાથી ઝીણો તાવ દુર થાય છે.

આને લગાતાર બે વર્ષ સુધી સેવન કરવાથી શરીર સંપૂર્ણપણે નીરોગી બની જાય છે.

(9:28 am IST)