Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ધર્મસંકટ : મરણ પથારીએ પડેલી પત્‍નીએ પતિને એવી અંતિમ ઇચ્‍છા જણાવી કે પતિ ટેન્‍શનમાં આવી ગયો

લંડન,તા. ૯: જયારે પણ કોઈ શખ્‍સનો અંતિમ સમય હોય છે, તો તેને જાણનારા લોકો તેની અંતિમ ઈચ્‍છા જાણવા માગતા હોય છે. ક્‍યારેક તો આ ઈચ્‍છા એવી હોય છે, જેને સરળતાથી પુરી કરી શકાય છે, પણ અમુક લોકો એટલા કોમ્‍પ્‍લેક્ષ હોય છે, તેની ઈચ્‍છા સાંભળીને જ સામાવાળાનું દિલ બેસી જાય. કંઈક આવું જ એક પતિ સાથે થયું છે, જેણે મરણપથારીએ પડેલી પત્‍નીની છેલ્લી ઈચ્‍છા જાણીને બેભાન થતાં થતાં રહી ગયો હતો.

મહિલાને ડોક્‍ટરે જણાવ્‍યું કે, તે અત્‍યંત ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે અને તેની જિંદગીના માત્રા થોડા મહિના જ બાકી છે, ત્‍યારે આવા સમયે તેના પતિએ જયારે મરણ પથારીએ પડેલી પત્‍નીની ઈચ્‍છા જાણવા માગી તો, તેણે પોતાના પતિને એવી વિશ કહી દીધી કે, પતિ કંઈ કહેવાના લાયક નહોતો રહ્યો. હવે તેણે સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાને શેર કરી છે, તેને સમજાતું નથી કે, આખરે તેને શું કરવું જોઈએ.

પતિએ પોતાની પોસ્‍ટમાં જણાવ્‍યું છે કે, તેન પત્‍નીને ટર્મિનલ ડિઝિઝ થયો છે અને તે હવે આ દુનિયામાં ફક્‍ત ૯ મહિનાની મહેમાન છે. શખ્‍સનું કહેવું છે કે, તે પોતાની પત્‍નીના અંતિમ દિવસોમાં ખુશીઓથી જીવવા માગે છે, પણ તેણે પોતાની અંતિમ ઈચ્‍છા બતાવીને તેને ધર્મસંકટમાં નાખી દીધો છે. હકીકતમાં પત્‍નીએ પોતાના પતિને કહ્યું કે, તે મરતા પહેલા પોતાના પૂર્વ પ્રેમી સાથે એક રાત પસાર કરવા માગે છે. આ સાંભળીને પતિ પણ દંગ રહી ગયો હતો, તેને સમજાતું નથી કે, આખરે તેને શું કરવું જોઈએ.

પતિએ લોકોને પોતાનું દુઃખ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે, તેમના લગ્નને ૧૦ વર્ષ થઈ ચુક્‍યા છે. હંમેશા તેને એ વાતનો આભાસ થતો કે, પત્‍ની તેના પૂર્વ પ્રેમી સાથે જોડાયેલી છે. સામાન્‍ય રીતે આવી સ્‍થિતીમાં શું રિએક્‍શન હોવું જોઈએ, તેને ખબર છે પણ પત્‍નીની હાલત જોઈને ગભરાઈ ગયો છું. તેને લાગે છે કે, તે અંતિમ દિવસોમાં તેનાથી દૂર જતી રહેશે. શખ્‍સની કહાની સાંભળ્‍યા બાદ લોકો પોતાનો મત રજૂ કરી રહ્યા છે, તેને કોઈ પણ ભોગે દિલને ઠેસ પહોંચે તેનો અધિકાર પત્‍નીને ન આપવો જોઈએ. અમુક લોકોએ કહ્યું કે, બીમાર પત્‍ની ખોટો નિર્ણય લઈ રહી છે.

(12:12 pm IST)