Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

પાકિસ્તાન:આતંકવાદી ગતિવિધિઓને અસફળ કરવા દરમ્યાન એક કર્નલ સહીત 2આતંકવાદીઓના મૃત્યુ

નવી દિલ્હી:પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદી ગતિવિધિઓને નાબૂદ કરવા માટે સુરક્ષાબળો દ્વારા કરવામાં આવી રહેલ કાર્યવાહી દરમ્યાન એક પાકિસ્તાની કર્નલ અને 2 આતંકવાદીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરક્ષાકર્મીઓએ કેપી પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં ટેન્ક વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું જે પછી આતંકવાદી જગ્યાને બંધ કરી દેવામાં આવી હતી એ દરમ્યાન કર્નલ મુજિબ ઉર રહ્મા અને બે આતંકવાદીઓના મૃત્યુ નિપજ્યા છે.પાકિસ્તાની સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદી જગ્યા પરથી હથિયાર અને ગોળા બારૂદ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

(5:53 pm IST)