Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભારે વરસાદના કારણોસર 17ના મૃત્યુ:38ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં ભારે વરસાદના કારણોસર થયેલ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ 38 અન્ય લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.પ્રાંતીય આપદા પ્રબંધન પ્રાધિકરને આ આંકડો આપ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

                 ભારે વરસાદના કારણોસર ઓછામાં ઓછા 57 લોકોના ઘરને નુકશાન પહોંચ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  મરદાન જિલ્લામાં 4 બાળકો સહીત સુધી વધારે 6 મૃત્યુ નિપજ્યા છે તેમજ સ્વાત જિલ્લામાં વરસાદના કારણોસર 4 લોકોના મૃત્યુ નિપજ્યા છે પેશાવર નોશેર અને ચારસંડામાં બે  બે લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

(5:50 pm IST)