Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકડાઉનના કારણોસર પાકિસ્તાનમાં હજારો પાલતુ પશુઓ ભૂખ્યા રહેવાના કારણોસર મૃત્યુ પામ્યા

નવી દિલ્હી: પાક.માં જ્યારથી કોરોના વાઈરસ ફેલાવા લાગ્યો તો લોકડાઉનની જાહેરાત થઇ હતી. જેથી કરાચીમાં હજારો બિલાડીઓ, કૂતરા, સસલાઓને તેમના હાલ પર છોડી દીધા તાં. અહીંની પેટ માર્કેટમાં હજારોની સંખ્યામાં પાલતુ જાનવરો મૃત મળ્યા હતા. અહીં રહેતી આયેશા ચુંડરીગર કહે છે કે લોક ડાઉનના બે હપ્તા સુધી દુકાનોની બહાર પાલતું જાનવરોના હોવાનો અવાજ સંભળાતો હતો. દુકાનમાં લગભગ 1000 જાનવર બંધ હતા. અમે જ્યારે અંદર ગયા તો 700 જેટલાં આ જાનવરોના મોત ભૂખ, પ્રકાશ, અને હવા ન મળવાથી થયા હતાં.

કોરોના વાઈરસની મહામારીની અસર માત્ર માણસો પર જ નહીં, પરંતુ પાલતુ જાનવરો પર પણ પડી છે. પાકિસ્તાનમાં પાલતુ જાનવરો પિંજરામાં ભૂખ-તરસથી મરી રહ્યા છે.

(6:34 pm IST)