Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

તુર્કીએ ગેરકાનૂની રૂપથી રહેતા 22 પાકિસ્તાનીઓને પરત મોકલ્યા

નવી દિલ્હી:તુર્કીએ ગેરકાનૂની રૂપથી રહેતા 22 પાકિસ્તાની નાગરિકોને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ બધા જ નાગરિકો સડક અથવા સમુદ્રના રસ્તાથી ગેરકાનૂની રીતે તુર્કીમાં દાખલ થયા હતા. વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પાકિસ્તાની નાગરિકો ઈસ્તાંબુલથી ફ્લાઈટમાં ઇસ્લામાબાદ પહોંચ્યા છે. એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે 11 પાકિસ્તાનીઓને ઇમિગ્રેશન પછી દેશ છોડવાની અનુમતિ આપવામાં આવી હતી જયારે અન્ય 11ને એફઆઈઆઈની તસ્કરી વિરોધી સેલમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે.

(5:51 pm IST)